આણંદ શહેર: કરમસદ સુરભી વિશ્રામ ગૃહના પતરાના સેડમાં યુવકે દોરડાં વડે ગળે ફાંસો ખાધો
આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલ સુરભી વિશ્રામ ગૃહ માં આવેલા પતરાના શેડની નીચે એક ૪૨ થી ૪૪ વર્ષના આશરાના એક અપંગ યુવકે કોઈ અગમ્ય કારણોસર દોરડાં વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો બનાવ સામે આવવા પામ્યો છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે હાલ અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.