🔹જામનગરના વિશ્વવિખ્યાત ઐતિહાસિક ભુજિયા કોઠાને અપાયો તિરંગાનો ભવ્ય શણગાર
🔹'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જામનગરના વિશ્વવિખ્યાત અને રાજાશાહી યુગના ઐતિહાસિક ભુજિયા કોઠાને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યો છે. દેશભક્તિના રંગે રંગાયેલા ભુજિયા કોઠાની આ મનમોહક ઝલક શહેરના નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગોથી ઝગમગતો ભુજિયા કોઠો ભારતની આન, બાન અને શાનનું પ્રતીક બની દેશપ્રેમનો સંદેશ આપી રહ્યો છે.
#Jamnagar #gujarat #15ogast