ધાનેરા પંથકમાં મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર થાય છે.હાલ ખેતરો રાયડાના પીળા ફૂલોથી લહેરાઈ રહ્યા છે,પરંતુ ઠંડીના અભાવે ખેડૂતો ભય હેઠળ છે.યોગ્ય ઠંડી ન મળવાથી રાયડામાં ‘મોલો-મસ્સી’ જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના છે.આવી સ્થિતિમાં છોડનો વિકાસ અટકી જશે અને ફૂલ ખરી પડવાથી સીધી અસર ઉત્પાદનમાં પડશે.