નડીઆદ મહાનગરપાલિકાના CNCD વિભાગ ધ્વારા નડીઆદ શહેર વિસ્તારના જાહેર માર્ગ પરથી રખડતા પશુ થકી નાગરિકોને જાનહાનિ ન થાય તે માટે પ્રતિ દિન રખડતા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે અન્વયે ૩૭૦ જેટલા રખડતાં પશુને અને ૨૦ જેટલા આખલાને જાહેર માર્ગ પરથી પકડવામાં આવેલ છે તથા આ કામગીરીમાં અડચણરૂપ થનાર પશુમાલિકો તેમજ રખડતાં પશુ થકી જાહેરમાં ગંદકી ફેલાવતા નીચે જણાવેલ ૪૦ પશુમાલિકો વિરુધ્ધ પ્રાંત સાહેબશ્રી ની કોર્ટમાં કલમ ૧૫૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.