શાસ્ત્રીનગરમાં જીવલેણ અકસ્માત: DPS સ્કૂલ બસ અને મનપાના ખાડાએ લીધો યુવકનો જીવ
અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મુજબ, વળાંક લઈ રહેલી DPS સ્કૂલ બસની બાજુમાં મનપાનું ખોદકામ ચાલતું હોવાથી રસ્તો સાંકડો બન્યો હતો. બસ અચાનક વળતા યુવક પાછળના ટાયરની ઝપેટમાં આવી ગયો અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. હવે આ દુર્ઘટનામાં ડ્રાઈવરની બેદરકારી, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ અને મનપાના ખોદકામને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
(Amdavad, DPS, Shashtrinagar, Accident, News, Update)
#Amdavad #DPS #Shashtrinagar #Accident #News Update