થાનગઢ તાલુકામાં રાજકીય હલચલ વચ્ચે ખેડૂતો રાજુભાઈ કરપડાના સમર્થનમાં ખુલ્લા મેદાનમાં આવ્યા છે. રાજુભાઈ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂતોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોનું કહેવું છે કે રાજુભાઈએ હંમેશા ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી છે, તેથી તેઓ કોઈપણ પક્ષ સાથે જોડાશે તો ખેડૂતો તેમનો સાથ આપશે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે આ સમર્થન વ્યક્તિગત વિશ્વાસ અને કામના આધાર પર છે, પક્ષ પર નહીં. તેમ જણાવ્યું હતું