દાહોદ સબ જેલ ખાતે બંદીવાનોના ટી.બી. રોગ નિદાન માટે સ્ક્રેનીંગ કેમ્પ કરવામાં આવ્યો.
જેલોના પોલીસ મહાનિદેશકશ્રી ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષકશ્રી આર.પી. બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષકશ્રી સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર પ્રિઝન ઇન્ટરવેશન (GSNP+) Alliance India પ્રોજેકટ અન્તર્ગ દાહોદ સબ જેલમાં તમામ બંદીવાનોનું ટી.બી.રોગના નિદાન માટે પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રેનીંગ કરવા માટે જિલ્લા ટી.બી.રોગ નિવારક કેન્દ્રના સહયોગ થી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પ તા.૨૭ જુન તથા ૨૯ જુન એમ બે દિવસ ચાલશે. સ્ક્રેનીંગ કરવાની કામગીરી પ્રોજેકટના કોડિનેરટ- રૂપેશભાઇ મકવાણા તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.
Dohad, Dahod | Jun 27, 2026