નડિયાદમાં સ્થિત અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા શુક્રવારે આ છાત્રાલયમાં રહેતી દીકરીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી અજાણ્યો ઈસમ રાત્રિના સમયે દીકરીઓને હેરાન કરી રહ્યો છે જે બાદ અધિકારીઓ દોડતા થયા હતા અને સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે મીડિયામાં અહેવાલ બાદ હવે આ છાત્રાલયની સુરક્ષામાં વધારો કરાયો છે. છાત્રાલયની પાછળની સાઇડે પણ હવે સીસીટીવી લગાવવા સહિતની અન્ય સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે.