કરજણ: દીવી અને સાંસરોદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ખાબકેલી નીલગાયનું રાહદારીઓ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું.
બપોરના સમયે ઝહીર જમાદાર નામના એક જાગૃત નાગરિક દીવી અને સાંસરોદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પરથી પસાર થઈ રહ્યા હતાં.તે દરમિયાન નર્મદા કેનાલમાં એક નીલગાય ખાબકી હતી.આ દરમિયાન ત્યાંથી પસાર થતા ઝહીર જમાદાર ની નજર પડતાં તેઓ દ્વારા ત્યાંના સ્થાનિક લોકોની મદદથી નીલગાય ને રેસ્ક્યું કરવાની તજવીજ હાથ ધરી હતી.જેમાં તેઓને ભારે જહેમત ઉઠાવ્યા બાદ કેનાલમાં ખાબકેલી નીલગાયને રેસ્ક્યું કરવામાં સફળતા મળી હતી.