જેતપુર: જેતપુર પંથકમાં બાળકના અપહરણની તપાસ ધોરાજી સીપીઆઈને સોંપાઈ
Jetpur, Rajkot | Feb 6, 2024 જેતપુરના દેરડીધાર આવાસ ક્વાર્ટરમાં રહેતા ફરિયાદી જીગ્નેશભાઈ કિશોરભાઈ રાદડીયાના ૧૩ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે હવે આગળની તપાસ ધોરાજી સીપીઆઈ એલ.આર ગોહિલને તપાસ સોંપવામાં આવી છે.