સુરત ગ્રામ્ય હોમગાર્ડ દળની બારડોલી યુનિટમાં ફરજ બજાવતા સ્વ. કિરણભાઈ નાનસિંગભાઈ ચૌધરી (સનદ નં. 375)નું ફેબ્રુઆરી–2025માં ફરજ દરમિયાન સુરતી જકાત નાકે ટેન્કર અકસ્માતમાં આકસ્મિક નિધન થયું હતું. આ દુખદ ઘટનાને પગલે ગુજરાત હોમગાર્ડ વેલફેર ફંડમાંથી તેમના પરિવારને સહાય મંજૂર કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ દ્વારા ₹4,05,000 (અંકે ચાર લાખ પાંચ હજાર રૂપિયા)ની મૃત્યુ સહાય મંજૂર કરવામાં આવી, જેનો ચેક 8 ફેબ્રુઆરી, 2026ના રોજ અપાયો