ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરૂવારના રોજ સુરત મુલાકાતે આવ્યા હતા. સીટી લાઈટ ખાતે આવેલા સાયન્સ સેન્ટરમાં આયોજિત ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી. જેમાં ઉપસ્થિત સૌ લોકોને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું કે,મારામાં ક્યાંય પટેલવાદ નથી. આપણે ક્યાં સુધી લેઉવા - કડવાના નામે વહેચાયેલા રહીશું. દીકરી અનારની હાજરીમાં તેઓએ આ સૂચક નિવેદન આપ્યું હતું. તેઓએ એ પણ જણાવ્યું હતું કે હું પણ પટેલ છું.