કાલોલ: બાકરોલ ગામના ખેડૂતોનું એમજીવીસીએલ વિભાગને આવેદન પર્યાપ્ત વરસાદના અભાવે એગ્રીકલ્ચરનો વીજપુરવઠો નિયમિત આપવા માંગ
કાલોલ તાલુકાના બાકરોલ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ બુધવારે એમજીવીસીએલ વિભાગની કચેરી ખાતે પહોંચીને કચેરીના નાયબ ઈજનેરને આવેદન આપ્યું હતું. ખેડૂતોના આવેદન અનુસાર તાજેતરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેમ છતાં પર્યાપ્ત વરસાદના અભાવે ડાંગરના ધરુંની જાળવણી તેમજ રોપણી લાયક વરસાદ નોંધાયો નથી. જ્યારે બીજી તરફ વરસાદી માહોલમાં પાછલા દસ પંદર દિવસોથી એગ્રીકલ્ચરનો વીજપુરવઠો ઠપ્પ જોવા મળે છે.