ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટરના વર્ષ 2026-27ના કાર્યકાળ માટે નિર્મલભાઈ શાહની સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી આ અવસરે યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારોહમાં સમાજજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાઈ હતી અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો સમારોહ દરમિયાન ગુજરાત રાજ્યના કો-ઓર્ડિનેટર કાશ્મીરાબેન તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કો-ઓર્ડિનેટર સી.સી. શાહ સાહેબ પોતાની કારોબારી ટીમ સાથે ખાસ હાજર રહ્યા હતા.