જેસર: જુનાપાદર ગામે રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકોને સીધો લાભ મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
જેસર તાલુકાના જુનાપાદર ગામે રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકોને સીધો લાભ મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગામલોકોની વિવિધ અરજીઓ તેમજ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધારકાર્ડ સુધારણા, આવક દાખલા, જાતિ દાખલા, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, રેશનકાર્ડ સંબંધિત કામગીરી સહિત વિવિધ સરકારી સેવાઓ ગામજનોને ઉપલ