જૂનાગઢના DySP હિતેશભાઈ ધાંધલીયાએ માનવતા અને સેવા ભાવનો અનોખો દાખલો પૂરું કરતાં પોતાનો જન્મદિવસ ડુંગરપુર ગામે દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો હતો. જન્મદિવસના આ વિશેષ અવસરે DySP સાહેબશ્રીએ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમને ભોજન પ્રસાદ આપીને આનંદની પળો વહેંચી હતી. દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી ફેલાવવાનો આ ઉપક્રમ સ્થાનિક સ્તરે પ્રશંસાનો વિષય બન્યો છે. DySP હિતેશભાઈ ધાંધલીયાની આ સેવા-સંવેદના ભરેલી કાર્યશૈલી સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે