આણંદ: ચાવડાપુરા- જીટોડીયા માતા મરિયમ દેવાલય ખાતે તાડપત્રના રવિવારની ઉજવણી કરાઈ
Anand, Anand | Mar 29, 2026 આજે તાડપત્રના રવિવારની ઉજવણી અંગે ફાધર એ જણાવ્યું હતું કે આજથી મહા સપ્તાહ ની શરૂઆત થઈ છે, પ્રભુ ઈસુની કાલવારીની યાત્રા શરૂ થાય છે, પ્રભુ ઈસુની નજરના લીધે જ પિત્તરનું પરિવર્તન થયું હતું, પ્રભુ ઈસુએ બધું જ ભૂલી જઈને પસ્તાવાની કૃપા આપી છે, ત્યારે પ્રભુ ઈસુ જેમ બધું જ ભૂલી જઈને બધાને માફી આપી એમ માણસ જાતે પોતાનું વલણ બદલતા, કોઈની નિંદા ન કરતા, એકબીજા સાથે ભાઈ ચારાથી રહેવું, પ્રભુની વધુ નજીક જવા પ્રયત્નશીલ બનીએ, એ જ આજનો મુખ્ય સંદેશ છે તેમ જણાવ્યું