પાક નુકસાનીની સહાયની માંગ સાથે ૩૦૦થી વધુ ખેત મજૂરો રેલીમાં જોડાયા હતા. માવઠાના કારણે પાક બરબાદ થતા રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ભાગવી ખેતી કરતા મજૂરો સહાયથી વંચિત રહ્યા હોવાનું મજૂરોનું કહેવું છે. મજૂરોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી મજૂરો માટે અલગ સહાય પેકેજની માંગ કરી હતી.