બોરસદ: સંતોકપુરા પાસે થયેલા અકસ્માતમાં પાળજના વ્યક્તિનું મોત નીપજ્યું
Borsad, Anand | Feb 11, 2026 બોરસદ તાલુકાના સંતોકપુરા ગામ નજીક ખોડીયાર માતાના મંદિર પાસે બોરસદ પેટલાદ રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહેલા પેટલાદના પાળજ ગામના બાઈક ચાલકને પુરઝડપે જઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતાં મોત નીપજ્યું હતું. આ અંગે બોરસદ રૂરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટલાદ તાલુકાના પાળજ ગામે સીલવાઈ વગો નંદનવન પાર્ક વિસ્તારમાં મહેન્દ્રભાઈ વાઘેલનું મોત નીપજ્યું હતું.