બોરસદ તાલુકાના સંતોકપુરા ગામ નજીક ખોડીયાર માતાના મંદિર પાસે બોરસદ પેટલાદ રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહેલા પેટલાદના પાળજ ગામના બાઈક ચાલકને પુરઝડપે જઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતાં મોત નીપજ્યું હતું. આ અંગે બોરસદ રૂરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટલાદ તાલુકાના પાળજ ગામે સીલવાઈ વગો નંદનવન પાર્ક વિસ્તારમાં મહેન્દ્રભાઈ વાઘેલનું મોત નીપજ્યું હતું.