આણંદ શહેર: ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ભારતના ચુંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ વાહનોના ઉપયોગ સંબંધી આચારસંહિતા લાગુ
જે ધ્યાને લેતાં ત્રણથી વધુ વાહનો કાફલારૂપે જવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ નકકી થયેલ આચાર સંહિતાનો અમલ ચૂસ્ત પણે થાય તે ઉદ્દેશથી કોઇપણ રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારો, સીધી કે આડકતરી રીતે સંકળાયેલ અન્ય કોઇપણ વ્યકિત ઉપર ત્રણથી વધુ વાહનોના બનેલ કાફલામાં કાર/વાહનમાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.