ધંધુકા: સંત પુનિત મહારાજની 118મી જન્મજયંતિ ધંધુકા ખાતે ભક્તિભાવથી ઉજવાઈ. #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad
સંત પુનિત મહારાજની 118મી જન્મજયંતિ ધંધુકા ખાતે ભક્તિભાવથી ઉજવાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના સંત પુનિત ચોક ખાતે પ.પૂ. પ્રાતઃસ્મરણિય સંત શ્રી પુનિત મહારાજની 118મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ભાવભીની ઉજવણી યોજાઈ હતી. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં પુનિત ભક્તો ઉપસ્થિત રહી પૂજ્ય બાપજીના ચરણકમળે વંદન કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ આરતી સાથે કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ એકસ્વરે આરતી ગાઈ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્