આજે પોશી પૂનમના દિવસે નડિયાદના શુભ પ્રસંગે સંતરામ મંદિરમાં બોર ઉછામણીનો વિશેષ મહત્વ રહેલું હોય લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે સંતરામ મંદિરમાં હતા જેને લઇ નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આ બાબતે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા ટાઉન ઇન્ચાર્જ પીઆઈની બેદરકારીના આક્ષેપ સાથે સાથે બદલીની માંગ કરી હતી