Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વઢવાણ ખાતેથી સૌરાષ્ટ્રના પ્રથમ 'વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ'નો શુભારંભ વન્યજીવ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા, ગ્રીન એનર્જી અને સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો પર્યાવરણના જતન માટે "એક પેડ મા કે નામ" અભિયાન અને વન વિસ્તાર જાળવી રાખવા રાજ્ય સરકારની મક્કમ નીતિ:-વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા *'A checklist of birds at Wadhwan city' નામની પુસ્તિકાનું વિમોચન* સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા એવા ઐતિહાસિક 'વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામ'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે 'જામનગર બર્ડ એટલાસ'ની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ 'A checklist of birds at Wadhwan city' નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગ સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પરમાત્માએ પૃથ્વી પર તમામ જીવમાત્ર માટે પૂરતી કુદરતી સંપત્તિ આપી છે, પરંતુ મનુષ્યોએ પોતાની બુદ્ધિશક્તિના જોરે આ સંપત્તિનો મોટો ભાગ પોતાના અધિકારમાં લઈ લીધો છે. પરિણામે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે અને આપણે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છીએ. જો પ્રકૃતિની સાંકળનો કોઈ પણ હિસ્સો તૂટશે તો તેની માઠી અસર સમગ્ર માનવજાત પર પડશે; તેથી વન્ય જીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશ્વમાં સૌ પ્રથમવાર ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આજે ભારત આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ દ્વારા ૧૦૦થી વધુ દેશોને સૌર ઉર્જાથી જોડી રહ્યું છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી, આપણી વીજળીની ૫૦% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જ્યાં સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વધુમાં તેમણે ખેતીના પાકને ઉંદરોથી બચાવી લાખો ટન અનાજનું રક્ષણ કરતા સાપ જેવા જીવોનું પર્યાવરણીય મહત્વ પણ સમજાવ્ય

Dasada, Surendranagar | Jun 12, 2026

MORE NEWS