Public App Logo
Profile Picture

Priyakant Chavda

@priykantchavda
30565Followers
0Following
Video 0
ખારાઘોડામાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની અધ્યક્ષતામાં અગરિયા એકતા સભા યોજાઈ
કેન્દ્ર સુધી સત્તામાં છો તો અગરિયાઓના પેટ પર લાત શા માટે ? પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના પ્રહાર
Video 3
Video 4
પાટડી બજાણા રોડ સીએનજી પમ્પ પાસે પોલીસે ટ્રક ચાલકને ઢોર માર્યો હોવાના આક્ષેય ટ્રક ચાલકે 112 માં માહિતી આપ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લીધી,મોબાઈલ પણ તોડી નાખ્યો હોવાના ગંભીર આક્ષેપ
Video 6
પાટડી PGVCLમા લો પાવરની સમસ્યાના કારણે સુરજપુરા ખેડૂતોએ હોબાળો કર્યો
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વઢવાણ ખાતેથી સૌરાષ્ટ્રના પ્રથમ 'વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ'નો શુભારંભ

વન્યજીવ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા, ગ્રીન એનર્જી અને સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો

પર્યાવરણના જતન માટે "એક પેડ મા કે નામ" અભિયાન અને વન વિસ્તાર જાળવી રાખવા રાજ્ય સરકારની મક્કમ નીતિ:-વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
*'A checklist of birds at Wadhwan city' નામની પુસ્તિકાનું વિમોચન*

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા એવા ઐતિહાસિક 'વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામ'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે 'જામનગર બર્ડ એટલાસ'ની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ 'A checklist of birds at Wadhwan city' નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગ સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પરમાત્માએ પૃથ્વી પર તમામ જીવમાત્ર માટે પૂરતી કુદરતી સંપત્તિ આપી છે, પરંતુ મનુષ્યોએ પોતાની બુદ્ધિશક્તિના જોરે આ સંપત્તિનો મોટો ભાગ પોતાના અધિકારમાં લઈ લીધો છે. પરિણામે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે અને આપણે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છીએ. જો પ્રકૃતિની સાંકળનો કોઈ પણ હિસ્સો તૂટશે તો તેની માઠી અસર સમગ્ર માનવજાત પર પડશે; તેથી વન્ય જીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશ્વમાં સૌ પ્રથમવાર ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આજે ભારત આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ દ્વારા ૧૦૦થી વધુ દેશોને સૌર ઉર્જાથી જોડી રહ્યું છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી, આપણી વીજળીની ૫૦% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે.

વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જ્યાં સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વધુમાં તેમણે ખેતીના પાકને ઉંદરોથી બચાવી લાખો ટન અનાજનું રક્ષણ કરતા સાપ જેવા જીવોનું પર્યાવરણીય મહત્વ પણ સમજાવ્ય
સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં અગરીયા પરિવારોની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન  કરાયુ 

અગરીયાઓ માટે આગામી સમયમાં અમલી બનનાર વિશિષ્ટ 'આવાસ યોજના'ના સફળ અમલીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરાઈ*

કપરા હવામાન વચ્ચે મીઠું પકવતા શ્રમિકોની પ્રાથમિક જરૂરિયાતો અને ભૌગોલિક પરિસ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરાઈ

 

ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડના સભ્ય સચિવ અને ગુજરાત રાજ્યના અધિક શ્રમ આયુક્ત ડૉ. વાય. એમ. શેખની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડા તાલુકાના રણ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન શ્રમ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે રણ વિસ્તારમાં જઈને મીઠું પકવવાનું કપરૂં કામ કરતા અગરીયા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આ પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન અધિક શ્રમ આયુક્તશ્રી અને તેમની ટીમ દ્વારા દસાડા અને ધ્રાંગધ્રા તાલુકાના રણ વિસ્તારમાં વસતા અગરીયાઓની હાલની પરિસ્થિતિનું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અગરીયાઓને ખુલ્લા રણમાં અતિ વિષમ હવામાન વચ્ચે ઝૂંપડાં બાંધીને રહેવામાં પડતી મુશ્કેલીઓ, તેમજ પીવાનું શુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો મેળવવામાં પડતી રોજિંદી સમસ્યાઓનો સ્થળ પર જઈને ગહન અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી સમયમાં ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકાનાર વિશિષ્ટ 'આવાસ યોજના'ની પૂર્વતૈયારીઓના ભાગરૂપ હતો. રણ વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવતા અગરીયાઓ માટેના આ આવાસ પ્રોજેક્ટથી શ્રમિકોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ યોજનાના અત્યંત અસરકારક અને સફળ અમલીકરણ માટે રણની ભૌગોલિક પરિસ્થિતિ, અગરીયાઓની વાસ્તવિક જરૂરિયાતો અને તેમના રહેઠાણના સ્થાનોની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક આકલન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મદદનીશ શ્રમ આયુક્તશ્રી એસ.એ.ભપલ, સરકારી શ્રમ અધિકારીશ્રી, શ્રમતંત્રના અન્ય કર્મચારીશ્રીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Video 10
Video 11
રણમાં ભાડેથી જમીન આપી ભેદભાવ સામે ખારાઘોડાના અગરિયાઓનો રોષ
Video 13
Video 14
કચ્છના નાના રણમાં ૫ પેઢીથી મીઠુ પકવીએ છીએ છતાં હક નથી મળતા -: અગરિયા
Video 16
Video 17
પાટડી નગરપાલિકાની વીજબીલ ભરપાઈ કરવા સરકાર દ્વારા સહાય આપવામાં આવી
Video 19
Video 20
દસાડા તાલુકા પંચાયતના નવનિયુક્ત 26 વર્ષીય ઉપપ્રમુખ દિલીપ માલકિયાએ પ્રતિક્રિયા આપી
દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
પાટડીમાં ખુલ્લી ગટર જોખમ ઉભુ કર્યું આધેડ એક્ટિવા સાથે ખાબક્યા
Video 24