વડવા નેરા વિસ્તારમાં ડ્રેનેજના પાણીથી લોકો પરેશાન, મનપા કચેરી સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરાઈ #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Mar 4, 2026
ભાવનગર શહેરના વડવા નેરા તલાવડી વિસ્તારમાં સતત ઉભરાતા ડ્રેનેજ ના પાણીથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. છેલ્લા લાંબા સમયથી વડવા નેરા વિસ્તારમાં પાણી ઉભરાઈ રહ્યું છે. જેને લઇને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ અંગે મનપા કચેરી સક્ષક યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર ભાગ કરવામાં આવી હતી.