આણંદ શહેર: પૂજાપુરા-મલાતજ ગામ પાસે ગોડાઉનમાં ઘાસના પૂળા તથા તમાકુ ભરેલ ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી
કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમને કાસોર રોડ ઉપર પૂજાપુરા-મલાતજ ગામ નજીક આવેલ એક ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. ગોડાઉન માલિક મયુરભાઈ પરસોતમભાઈ પટેલના ગોડાઉનમાં ઘાસના પૂરા તેમજ તમાકુનો જથ્થો સંગ્રહિત હતો, જ્યાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઊઠી હતી.