થાનગઢમાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ નિમિત્તે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. ધોરણ ૫ થી ૮ના ૯૦ વિદ્યાર્થીઓએ ૪૫ પ્રોજેક્ટ રજૂ કર્યા. ખગોળ, પર્યાવરણ અને ગણિતના મોડેલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આશરે ૧૫૦૦ લોકોએ પ્રદર્શન નિહાળ્યું. અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.