ગારિયાધાર: ગારીયાધાર તાલુકામાં શેત્રુંજી નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી
ગારીયાધાર તાલુકામાં શેત્રુંજી નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી ગારીયાધાર તાલુકામાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં ફરીથી પાણીની આવક થતાં નદીના કિનારાના ગામોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે, કારણ કે નદીમાં પાણી આવવાથી સિંચાઈ માટે આશા જાગી છે અને ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના છે. ઘણા ગ્રામજનો નદીના કિનારે પહોંચી નવા નીરના દૃશ્યો નિહાળી રહ્યા છે.