કાલોલ: પોલીસ સ્ટેશન ખાતે ASI રંગીતસિંહ ચૌહાણના વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ASI રંગીતસિંહ શનાભાઈ ચૌહાણના વયનિવૃત્તિ નિમિત્તે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.વયનિવૃત્તિ પ્રસંગે યોજાયેલા સમારંભમાં કાલોલ પોલીસ સ્ટેશનના PI આર.ડી. ભરવાડ, PSI સહિત સમગ્ર પોલીસ સ્ટાફ,રંગીતસિંહ ચૌહાણના પરિવારજનો, સગા-સંબંધીઓ, નગરજનો, આજુબાજુના ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.