ગુજરાત વિધાનસભાનું સત્ર 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ચાલનાર છે ત્યારે આ વિધાનસભા સત્રમાં કામગીરીને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. સરકારી વિધાયકો સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.