સુરતના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડમાં રિમાન્ડ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલે જેલમાંથી બેઠા હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સતીશની કારમાં લગાવેલા GPSથી તેના પર નજર રાખવામાં આવી રહી હતી. GPSની બેટરી પૂરી થાય તે પહેલાં હત્યા કરવા માટે હત્યારાઓએ 20 કલાકમાં ત્રણ વખત પ્રયાસ કર્યો હતો, જેમાં ગોડાદરા અને ખટોદરના બે પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ ભેસ્તાનમાં ત્રીજા પ્રયાસે સતીશની હત્યા કરવામાં આવી. તપાસમાં જૂની અદાવતના કારણે હત્યારાઓની ટીમ તૈયાર કરાઈ હોવાની વિગતો પણ સામે આવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ GPS, કોલ ડિટેઈલ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે વધુ તપાસ કરી રહી છે.
#krantisamaynews #krantisamay #surat #bhestan #satishmaratha
Udhna, Surat | Aug 14, 2026