ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા બાદ આજે તે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં તેને લેવા પહોંચ્યા હતા.
જામીનની શરતો મુજબ તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં, તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે અને તે કોઈપણ પ્રકારની સમાન પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં. નોંધનીય છે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી જ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
#TathyaPatel #IskconBridgeCase #AhmedabadNews #BailUpdate #SabarmatiJail
Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026