ઓઢવ વોર્ડના ઇન્દિરા નગર ખાતે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આયોજિત ભાજપના અનુસૂચિત જાતિના સંમેલનમાં પાયાના પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે પૂર્વ સાંસદ અને ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થવું પડ્યું હતું.