કાલોલ: કાલોલ ખાતે પંચમહાલ જિલ્લા મહિલા મોરચા દ્વારા ડૉ. આંબેડકર જયંતિની અનોખી ઉજવણી: સફાઈ કામદાર બહેનોનું કરાયું સન્માન
ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા મહિલા મોરચા દ્વારા કાલોલ નગર ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "સેવા એ જ સંકલ્પ" ના મંત્ર સાથે મહિલા મોરચાએ નગરની સફાઈ વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતી સફાઈ કર્મચારી મહિલાઓનું જાહેર સન્માન કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ આ પ્રસંગે ઉપસ્થિત શૈફાલીબેન ઉપાધ્યાય (પ્રમુખ, પંચમહાલ જિલ્લા મહિલા મોરચા),શોભાબેન શાહ (પ્રમુખ, કાલોલ શહેર મહિલા મોરચા