કાલોલ: કાલોલની એન. એમ. જી. હોસ્પિટલમાં શ્રીનાથજીબાવા, ધન્વંતરિ ભગવાન અને સરસ્વતી માતાની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાઈ
કાલોલ નગરની જાણીતી એન. એમ. જી. હોસ્પિટલ ખાતે એક ભવ્ય અને ભક્તિમય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલ પરિસરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, હોસ્પિટલના ડેન્ટલ વિભાગના પ્રવેશદ્વારે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિ અને વિદ્યાના દેવી માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીના વરદહસ્તે શ્ર