ખંભાત તાલુકાના રાલેજ ગામના અમદાવાદી ફળિયામાં રહેતા જયકુમાર વિનોદભાઈ ત્રિવેદીની ભારતીય સેનામાં પસંદગી થઈ હતી.બિહાર નેપાળ બોર્ડર ખાતે એક વર્ષની આર્મીની ટ્રેનિંગ લીધી હતી.ટ્રેનિંગ પૂર્ણ કરી તેઓ માદરે વતન ખંભાત આવ્યા હતા.ખંભાતના રેલવે સ્ટેશનથી રાલેજ સુધી ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં રાજકીય આગેવાનો તેમજ ગામના સરપંચ દ્વારા ખંભાતનું નામ રોશન કરનાર આર્મી જવાન જયભાઇનું ફુલહાર તથા સાલથી સન્માન કરાયું હતું