અમરેલી જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ૨૫,૦૦૦થી વધુ ખેડૂતોને રૂ. ૭૫ કરોડથી વધુની સહાય વિતરણઅમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત જિલ્લામાં અત્યારસુધીમાં ૨૫ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૭૫ કરોડથી વધુની સહાય સીધી જમા કરાઈ છે. જિલ્લામાં કુલ ૬૨૬ ગામોમાં ૨.૧૯ લાખથી વધુ ખેડૂતો દ્વારા વી.સી.ઈ. મારફતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હોવાનું આજે તા.28 ના રોજ સાંજે 5 કલાકે