કાલોલ: કાલોલના મધવાસ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો: ધોરણ ૧૦ અને ૧૨ના ૪૨ વિદ્યાર્થીઓ પુરસ્કૃત
કાલોલ તાલુકાના મધવાસ ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આજે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. મધવાસની નવસર્જન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ૪૨ જેટલા તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધારવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.મધવાસ ગ્રામ પંચાયતના સરપંચ ચંપાબેન અશ્વિનકુમાર રાઠોડ, સ્પેકો કંપનીના જીએમ બાલા સુબ્રમણ્યમ, પ્રદીપભાઈ ગોહિલ, યુનિયન ક