કાલોલ: વરવાળા ગમીરપુરા ખાતે અગમ્ય કારણોસર સગીરાએ આત્મહત્યા કરી લેતા કાલોલ પોલીસે તપાસ શરૂ કરી.
કાલોલ તાલુકાના વરવાળા ના મહેન્દ્રભાઈ રયજીભાઈ બારીયા દ્વારા કાલોલ પોલીસ મથકે આપેલી જાહેરાત ની વિગતો જોતા વરવાળા ગમીરપુરા ખાતે રહેતા રંગીતભાઈ રમણભાઈ બારીયા ના ખેતરમાં બનાવેલી ઓરડીમા સગીરા જેની ઉમર વર્ષ ૧૬ વર્ષ ૧૧ માસ ૪ દિવસ એ કોઈ અગમ્ય કારણોસર એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મરણ પામેલ જે બાબતે કાલોલ પોલીસ મથકે જાહેરાત આધારે એડી નોંધ કરી બીએનએસ કલમ 194 મુજબ નોંધ કરી આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરી છે.