કાલોલ: કાલોલની સરસ્વતી વિદ્યામંદિર ખાતે અને કાલોલ કુમાર શાળા ખાતે કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
કુમાર શાળા ખાતે આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકોને પ્રવેશ આપવાનો સરકારી અભિગમ પ્રમાણેનો આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તેમજ શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં શાળા પ્રવેશોત્સવ ના અધ્યક્ષ સ્થાને કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા ના હસ્તે કરવામાં આવ્યો.ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરવા, ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા અને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી