નડિયાદના મહાકાલેશ્વર મહાદેવ મંદિરે મંત્રી સંજયસિંહ મહિડાએ કરી પૂજા-અર્ચનાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં આજથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ભવ્ય પ્રારંભ થયો છે. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે ગુરુવારે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ કમળાના અતિ પ્રાચીન મહાદેવની મુલાકાત