Surat Jagannath Rath Yatra 2026 | જય જગન્નાથના જયઘોષ સાથે સુરતમાં ભવ્ય રથયાત્રા
ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા-2026 નિમિત્તે આજે સુરત શહેર ભક્તિના રંગમાં રંગાયું છે.
શહેરમાં કુલ 11 રથયાત્રાઓ યોજાઈ રહી છે. મુખ્ય રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઇસ્કોન મંદિર પહોંચશે.
રથયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે 5 હજારથી વધુ પોલીસ જવાનો, ડ્રોન, 3 હજારથી વધુ CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરા, SOG, DCB અને બોમ્બ સ્ક્વોડ સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
#surat #rathyatra #jagannath #jayjagannath #suratnews #suratbreaking #gujarat #gujaratinews #hotlinenews #rathyatra2026 #lordjagannath #festival #hindu #bhakti #police #trafficupdate #breakingnews #latestnews #india #devotional
Udhna, Surat | Jul 16, 2026