ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યુ હતું. જેમાં વિવિધ માગણીઓને લઈને રજૂઆત કરી હતી ભારે વરસાદથી થયેલા નુકસાનના વળતર પેટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની માંગ કરી હતી. જ્યારે બીજી બાજુ કેનાલો તાત્કાલિક રીપેર કરી સાફ-સફાઈ કરી પાણી છોડવા રજૂઆત કરી હતી. તેમજ કેનાલોમાં નખાતું ખારું પાણી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને વરસાદથી થયેલ નુકસાન મામલે ખેડૂતોના બેંક ખાતામાં તાત્કાલિક પૈસા નાખવામાં આવે તેવી માંગ કરી હતી.