સુરતમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે પીપલોદ કારગીલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પી ભાવભીનુ સ્મરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. શાળાના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
અંતે માજી સૈનિકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમ પૂર્ણ થયો.
#KargilVijayDiwas #IndianArmy #TributeToMartyrs #Surat #GujaratNews #BreakingNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026