કાલોલ: વેજલપુર કુમારશાળા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ: એક જ સ્થળેથી વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાતા ગ્રામજનો ઉમટી પડ્યા
સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલી કુમારશાળામાં એક ભવ્ય 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મામલતદાર વિકાસ પટેલ, તાલુકા વિકાસ અધિકારી આર. પી. પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ તથ