ખંભાતની લાલ દરવાજા પોલીસ ચોકીમાં અરજદાર પાસેથી માંગેલી ૩૦ હજાર રૂપિયાની લાંચ લેતા પીએસઆઈ પી. પી. પટેલ આણંદ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. જેની તપાસ અમદાવાદ એસીબીને સોંપવામાં આવી હતી. જેમણે આજે પી. પી. પટેલને કોર્ટમાં રજુ કરીને અગાઉ કોની-કોની પાસેથી કેટલી રકમ લાંચરૂપે લેવાઈ છે? બીજું કોણ-કોણ સંડોવાયેલું છે? ગેરકાયદેસર રીતે મેળવેલી રકમમાંથી મિલ્કતો વસાવી છે કે કેમ? જેવી બાબતોની તપાસ માટે રીમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ત્રણ દિવસના ર