નાંદોદ: રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ધન્યતા અનુભવી.
પ્રથમ વખત દિલ્હીની બહાર, ગુજરાતના એકતાનગર ખાતે વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં ભારત પર્વ ૨૦૨૫ ની ઉજવણીના આપણે એક અદ્ભુત અધ્યાયના સાક્ષી બની રહ્યા છીએ. સરદાર સાહેબની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની આ પાવન ભૂમિ વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશો આપી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના અખંડ ભારતના સપનાને સાકાર કરતું જીવંત પ્રતીક છે.