ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિભારે વરસાદની પરિસ્થિતિ અંગે સ્થાનિક આગેવાનો પાસેથી વિગતવાર જાણકારી મેળવી.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે પણ સ્થાનિક સ્તરેથી માહિતી મેળવી હતી.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ભારે વરસાદના આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સહાય અને રાહતકાર્યમાં સક્રિયપણે જોડાયા છે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કાર્યકર્તાઓને જરૂરિયાતમંદ પરિવારોને શક્ય તમામ સહયોગ પૂરો પાડવા આહ્વાન કર્યું છે.
Valsad, Valsad | Jul 8, 2026