કાલોલ: કાલોલ નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા યૌમે આશુરા મોહર્રમ પર્વની પરંપરાગત રીતે ઉજવી શાંતીપૂર્ણ માહોલમાં વિસર્જન
ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે. મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે.ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની ૧૦ તારીખે પયગંબર હઝરત મોહમ્મદના સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા.તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના ૭૨ સાથીઓ પણ શહીદ થય