સાવરકુંડલા: સાવરકુંડલા વોર્ડ નં. 4માં ગંદકીના ઢગલાઓ વચ્ચે આરોગ્ય પર સંકટ,સામાજિક કાર્યકર જગદીશ ઠાકોર દ્વારા ચીફ ઓફિસરને કરાઈ રજુઆત
સાવરકુંડલાના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચારે તરફ ગંદકીના ગંજ ખડકાયા છે, જેના કારણે લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકર અને સામાજિક આગેવાન જગદીશભાઈ ઠાકરે આજે વાગ્યે સોશિયલ મીડિયા મારફતે નગરપાલિકાના ચીફ ઓફિસરને ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી છે.